સુરત એક સમય માં સોનાની મૂરત નામથી ઓળખાતું હતું અને એ સોનાને લૂંટવા ઘણા વિદેશી આક્રમણો થયા. જેમાં અંગ્રેજો અને મુઘલો સામેલ હતા.
તેમાં મુઘલો ઘણા ક્રૂર હતા. તેમને સ્વતંત્ર સલ્તનત ના રાજા દ્વારા બનાવેલ સુરત નો કિલ્લો જીતી પોતાનું મુઘલ સામ્રાજ્ય દખ્ખન તરફ આગળ વધાવ્યું.History Of Surat
પરંતુ દખ્ખનમાં મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજ નું શાસન ચાલતું હતું. મુઘલો તેમના સ્વરાજ માં લૂંટપાટ અને હિંસક પ્રવૃત્તિઓ કરતા.જેથી છત્રપતિ શિવાજી મહારાજ ના સ્વરાજ્યને ઘણું નુકસાન થતું

આથી મુઘલોને પાઠ ભણાવવા અને સ્વરાજ્યને થયેલ નુકસાનીની ભરપાઈ કરવા સ.ન. ૧૬૬૪ માં છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર ચડાઈ કારી સુરતમાં લૂંટ ચલાવી હતી.

સુરતનો ગવર્નર ઇનાયત ખાન ડરીને કિલ્લા માં છુપાઈને બેઠો હતો. કોઈની જાનહાની થયા વગર છત્રપતિ શિવાજી મહારાજે અંગ્રેજો અને અમીરોને લૂંટયા.

તેમની આ લૂંટ સફળ થઈ અને તેમની જીતનો આભાર માનવા તેઓ સૂરતના ભાગલ નજીક આવેલ અંબાજી માતાના દર્શન લઈ આશિર્વાદ લીધા હતા

હાલ આ મંદિર નું પૂન:નિર્માણ કરવામાં આવ્યું છે
