રસ્તાની બાજુમાં ઐતિહાસિક વાવ ! | Lakhi Stepwell

ગુજરાત માં આમ તો ઘણી એવી જાણીતી વાવ આવેલી છે. જેમાં રાણકી વાવ ને બધા જાણતા હશે. ગુજરાતની ઇતિહાસ કે સ્થાપત્યોની પુસ્તકો માં ગુજરાતના ઘણા શહેરો માં વાવ આવેલી છે એમ દર્શાવવામાં આવે છે પણ સુરત શહેર માં પણ વાવ આવેલી છે એ કોઈ પુસ્તકમાં બતાવવામાં આવેેલ નથી.

ઉપર દર્શાવેલ તસ્વીર એ લખી વાવ ના છે. જેે સુરત ના કતારગામ દરવાજા પાસે આવેલ લખી ટેકરાની ઝૂંપડપટ્ટીમાં માં એકદમ જર્જરિત અને મૃૃૃત હાલતમાં જોવા મળે છે.

આ વાવ સંપૂર્ણપણે દટાઈ ગઈ છે. જે ભૂતકાળમાં ક્યારેક ૪ માળ જેટલી ઊંડી અને ૪૮ પગથિયાં ધરાવતી ૫૦૦ થી ૬૦૦ વર્ષ જૂની વાવ આજ કચરાથી ભરાયેલી છે.

આ વાવ લખા નામના વણજારાએ બંધાવી હતી. એ વણજારાની એક લખી નામની પુત્રી વાવ પાસે મૃત્યુ પામી હોવાથી વાવનું નામ લખીવાવ રાખ્યું હતું. ઇ.સ. ૧૬૬૬ માં ફ્રેંચ પ્રવાાસી થેવેેનોએ પોતાની નોંધપોથીમાં લખીવાવ નો ઉલ્લેખ કર્યો હતો.

નંદા પ્રકારની આ વાવ માં લખી માતા નું મંદિર પણ હતું.જે હવે દટાઈ ગયું છે પણ માતાની મૂર્તિ બાજુમાં આવેલ મહાદેવ ના મંદિર માં સચવાયેલી છે. ઘણા લોકો આ વાવને નવલખાવાવ ના નામથી પણ ઓળખે છે.

સુરત મહાનગર પાલીકાની બેેેદરકારીને કારણે આ ઐતિહાસિક વાવ જમીન માં પુરાતી જાય છે. જેના કારણે આવનાર પેેેઢીને કદાચ આ વાવ જોવા નહી મળે.

સમાપ્ત.

Leave a comment