રસ્તાની બાજુમાં ઐતિહાસિક વાવ ! | Lakhi Stepwell

ગુજરાત માં આમ તો ઘણી એવી જાણીતી વાવ આવેલી છે. જેમાં રાણકી વાવ ને બધા જાણતા હશે. ગુજરાતની ઇતિહાસ કે સ્થાપત્યોની પુસ્તકો માં ગુજરાતના ઘણા શહેરો માં વાવ આવેલી છે એમ દર્શાવવામાં આવે છે પણ સુરત શહેર માં પણ વાવ આવેલી છે એ કોઈ પુસ્તકમાં બતાવવામાં આવેેલ નથી.

ઉપર દર્શાવેલ તસ્વીર એ લખી વાવ ના છે. જેે સુરત ના કતારગામ દરવાજા પાસે આવેલ લખી ટેકરાની ઝૂંપડપટ્ટીમાં માં એકદમ જર્જરિત અને મૃૃૃત હાલતમાં જોવા મળે છે.

આ વાવ સંપૂર્ણપણે દટાઈ ગઈ છે. જે ભૂતકાળમાં ક્યારેક ૪ માળ જેટલી ઊંડી અને ૪૮ પગથિયાં ધરાવતી ૫૦૦ થી ૬૦૦ વર્ષ જૂની વાવ આજ કચરાથી ભરાયેલી છે.

આ વાવ લખા નામના વણજારાએ બંધાવી હતી. એ વણજારાની એક લખી નામની પુત્રી વાવ પાસે મૃત્યુ પામી હોવાથી વાવનું નામ લખીવાવ રાખ્યું હતું. ઇ.સ. ૧૬૬૬ માં ફ્રેંચ પ્રવાાસી થેવેેનોએ પોતાની નોંધપોથીમાં લખીવાવ નો ઉલ્લેખ કર્યો હતો.

નંદા પ્રકારની આ વાવ માં લખી માતા નું મંદિર પણ હતું.જે હવે દટાઈ ગયું છે પણ માતાની મૂર્તિ બાજુમાં આવેલ મહાદેવ ના મંદિર માં સચવાયેલી છે. ઘણા લોકો આ વાવને નવલખાવાવ ના નામથી પણ ઓળખે છે.

સુરત મહાનગર પાલીકાની બેેેદરકારીને કારણે આ ઐતિહાસિક વાવ જમીન માં પુરાતી જાય છે. જેના કારણે આવનાર પેેેઢીને કદાચ આ વાવ જોવા નહી મળે.

સમાપ્ત.

સુરતમાં આવેલ આ મંદિરમાં છત્રપતિ શિવાજી મહારાજે અંબાજી માંતાના આશિર્વાદ લીધાં હતાં !

સુરત એક સમય માં સોનાની મૂરત નામથી ઓળખાતું હતું અને એ સોનાને લૂંટવા ઘણા વિદેશી આક્રમણો થયા. જેમાં અંગ્રેજો અને મુઘલો સામેલ હતા.

તેમાં મુઘલો ઘણા ક્રૂર હતા. તેમને સ્વતંત્ર સલ્તનત ના રાજા દ્વારા બનાવેલ સુરત નો કિલ્લો જીતી પોતાનું મુઘલ સામ્રાજ્ય દખ્ખન તરફ આગળ વધાવ્યું.History Of Surat

પરંતુ દખ્ખનમાં મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજ નું શાસન ચાલતું હતું. મુઘલો તેમના સ્વરાજ માં લૂંટપાટ અને હિંસક પ્રવૃત્તિઓ કરતા.જેથી છત્રપતિ શિવાજી મહારાજ ના સ્વરાજ્યને ઘણું નુકસાન થતું

આથી મુઘલોને પાઠ ભણાવવા અને સ્વરાજ્યને થયેલ નુકસાનીની ભરપાઈ કરવા સ.ન. ૧૬૬૪ માં છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર ચડાઈ કારી સુરતમાં લૂંટ ચલાવી હતી.

સુરતનો ગવર્નર ઇનાયત ખાન ડરીને કિલ્લા માં છુપાઈને બેઠો હતો. કોઈની જાનહાની થયા વગર છત્રપતિ શિવાજી મહારાજે અંગ્રેજો અને અમીરોને લૂંટયા.

તેમની આ લૂંટ સફળ થઈ અને તેમની જીતનો આભાર માનવા તેઓ સૂરતના ભાગલ નજીક આવેલ અંબાજી માતાના દર્શન લઈ આશિર્વાદ લીધા હતા

હાલ આ મંદિર નું પૂન:નિર્માણ કરવામાં આવ્યું છે

સુરતમાં લાલ દરવાજા, સહારા દરવાજા અને ૧૨ જેટલાં દરવાજા ક્યાંથી આવ્યા ? |Alampanah kot (wall)

ગુજરાત ના ઘણા શહેરોને તેની ફરતે તેમના રાજા મહારાજા દ્વારા કોટ બાંધવામાં આવેલ છે. જેમાં અમદાવાદમાં આવેલ કોટ વિસ્તારને સૌ કોઈ જાણે છે પરંતુ સુરત શહેર ને એક નહીં પણ બે-બે કોટ બાંધવામાં આવેલ છે તેની કોઈને જાણ નથી.

ઉપર દર્શાવેલ તસ્વીર એ વરિયાવી દરવાજા ની છે જે એક સમયમાં આલમપનાહ કોટ નો હિસ્સો હતો. જે કતારગામ દરવાજા નજીક આવેલ છે.

જુના સુરત શહેર ને શહેરપનાહ અને આલમપનાહ નામના બે કોટ હતા.

તાપી નદી નજીક આવેલ કિલ્લા થી નજીક આવેલ શહેરપનાહ કોટ (ઇ.સ.૧૬૬૪ – ૧૭૦૯)છત્રપતિ શિવાજી મહારાજ ના પ્રથમ આક્રમણ પછી પ્રજાની સુરક્ષા માટે બનવાયું

અમુક વર્ષ પછી સુરતની વસ્તી વધતા નવાબ મુત્સદી હૈદર કુલીખાને શહેરપનાહ થી દૂર આલમપનાહ કોટ (ઇ.સ. ૧૭૦૯ – ૧૭૨૪) બાંધ્યો. આલમપનાહ કોટ બાંધવા સુકાઈ ગયેલા ગોપીતલાવ ના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આલમપનાહ કોટ ની લંબાઈ સાડા પાંચ માઇલ અને ઊંચાઈ ૨૦ ફૂટ હતી. શહેરપનાહ અને આલમપનાહ આ બંને ની વચ્ચે ૧૪ પુરા નો સમાવેશ થતો હતો.

જેમાં મહિધરપુરા, ધાસ્તીપુરા, રામપુરા, હૈદરપુરા, રૂંધનાથપુરા, સલાબતપુરા, બેગમપુરા, સૈયદપુરા, ઇંદરપુરા, હરપુરા, રૂસ્તમપુરા, સગરામપુરા, નવપરા અને નાનપુરા નો સમાવેશ થતો હતો.

આલમપનાહ કોટ ને ઘણા બુરુજો પણ હતા. તેના પર તોપો રાખવામાં આવતી હતી. સૈનિકો ને ઉપર ચડવા અંદરની બાજુએથી સીડી પણ હતી.

આલમપનાહ કોટ ને ૧૨ દરવાજા હતા જેમાંથી હમણાં આ એક જ હયાત છે. શહેર માં પૂરના પાણી ને રોકવા આ દરવાજા માં ફ્લડગેટ મુકવામાં આવ્યા હતા. આ દરવાજા માં ફ્લડ ગેટ ના બે દરવાજા હજી પણ હયાત છે જેના પર કાટ લાગી ગયો છે.

૨ કોટના એક-એક દરવાજાનાં નામ એક સરખું નવસારી દરવાજો હતું

કોટ ના ૧૨ દરવાજા પૈકી તેમાં વરિયાવી દરવાજા, કતારગામ દરવાજા, લાલ દરવાજા, દિલ્લી દરવાજા, સહારા દરવાજા, કમેલા દરવાજા, માન દરવાજા, ઉધના દરવાજા, સગરામપુરા દરવાજા, મજુરા દરવાજા, અઠવા દરવાજા નો સમાવેશ થતો. હાલ તેમાંથી વરિયાવી દરવાજો જ હયાત છે.

હાલ સુરત માંથી શહેરપનાહ કોટ નાબૂત થઈ ગયો છે અને કતારગામ દરવાજા થી લાલ દરવાજા સુધી ના ભાગ માં જ આલમપનાહ કોટ ના અવશેષો જોવા મળે છે.

તંત્ર ની લાપરવાહી ને લીધે આ દરવાજો અને કોટ ની દિવાલ જમીનદોસ્ત થઈ રહી છે.તંત્ર ને તેને રીડેવેલપ કરવામાં કોઈ રસ નથી.

સમાપ્ત.